Sunday 5 May 2019

દાદાવાણી

  1. આ સંસાર નડતો નથી, અજ્ઞાન નડે છે, પોતાના સ્વરુપનું અજ્ઞાન નડે છે.
  2. સાચું સુખ એનું નામ કહેવાય કે જે આવ્યા પછી દુઃખ ના આવે.
  3. અહંકાર છે ત્યાં સુધી જીવાત્મા. અહંકાર ગયો તો થઈ ગયો પરમાત્મા.
  4. 'ભોગવે એની ભૂલ' એટલે કોઈ વારેઘડીએ દુઃખ દેતું હોય તો તરત જ સમજી જાય કે મારી ભૂલ હશે ત્યારે જ એ દે છે ને !
  5. ખરેખર કશી મુશ્કેલી આવે તેમ નથી.મન ડગ્યું તો મુશ્કેલી વળગે !
6. ' હુ કરું છું ' એ ભાન ઊડી જાય અને 'આ બધું કોણ કરે છે' એ જાણી જાય, એનો ઉકેલ આવે.

7. જેને પોતાના દોષ જોવા છે, સામાના દોષ જોવા નથી, તેનું આ જગતમાં કોઈ નામ લેનાર નથી.
                                              -------  દાદા ભગવાન

No comments:

Post a Comment