- --------- દાદા ભગવાન ----------
- મોક્ષે જનારો પોતાની ભૂલો જોયા કરે ને પારકાં ની ભૂલો જોનારો સંસારમાં ભટક્યા કરે.
- કોઈ ચેતવણી આપતું હોય તો તે દીવાદાંડી છે અને દીવાદાંડીની જે ખોડ કાઢે, તે સ્ટીમર સહીસલામત કયારે પહોંચે ?
- ' કોઈનીય અથડામણમાં ના આવીશ અને અથડામણને ટાળજે.' આ અમારા વાક્યનું જો આરાધન કરીશ તો ઠેઠ મોક્ષે પહોચીશ.
- ચિંતા એ સંસારનું મોટામાં મોટું બીજ છે. કારણ કે ચિંતા એ મોટામાં મોટો અહંકાર છે.
- પોતાની જ ભૂલોનો હિસાબ છે એમ સમજાય તો દુઃખ કે ચિંતા થાય ? આ તો પારકાંના દોષ કાઢીને દુઃખ ને ચિંતા ઊભી કરે છે ને નરી બળતરા જ રાત દહાડો ઊભી કરે છે.
- જેને એડજસ્ટ થવાની કળા આવડી, એ દુનિયામાંથી મોક્ષ તરફ વળ્યો. જે 'એડજસ્ટમેન્ટ' શીખી ગયો, તે તરી ગયો.
- સ્ત્રીનો દોષ નથી, વિષયનો દોષ નથી,દોષ તમારી વૃત્તિઓમાં છે, વૃત્તિઓજ ડખો કરે છે ને દુઃખી કરે છે.
- પોતે જો કશામાં ડખલ નહીં કરે તો કોઈ તાકાત એવી નથી કે તમારું નામ દે. --------- દાદા ભગવાન
Sunday 5 May 2019
દાદા ભગવાન
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment